Invitation for all on 12/11/2017 108 women will do 44km cycle parikrama.

આગામી 12, નવેમ્બર, રવિવાર 2017 ના રોજ પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા 108 મહિલા ઓ દ્વારા સાઇકલ સાહસયાત્રા નું આયોજન કરેલ છે. આ યાત્રાનો પ્રારંભ વાઘેશ્વરી માતાના મંદિર પાવાગઢ ખાતે સવારે, ૯, કલાકે રાખેલ છે તો આ 108 મહિલાઓ પાવાગઢ પરિક્રમા ૪૪ કિ.મી સાઇકલના માધ્યમ દ્વારા આ દુર્ગમ જંગલોમાંથી પસાર થઈ અને વિવિધ ગામોમાં જશે ત્યાં મહિલા જાગૃતિ ,મતદાન જાગૃતિ, પરિક્રમા જાગૃતિ, પંચ મોહત્સવ જાગૃતિ ,પર્યાવરણ જાગૃતિ અને મહિલા સશક્તિકરણ ના ઉદ્દેશ સાથે પરિક્રમા પૂર્ણ કરશે. આ યાત્રામાં ભગવતીબેન જોષી કન્વીનર ,પાવાગઢ પરિક્રમા સમિતિ મહિલા વિભાગ ના નેતૃત્વ હેઠળ મહિલા સાયકલ પરિક્રમાનો આયોજન થશે. અને પાવાગઢ પરીક્રમાના ફરતે આવતાં તમામે તમામ ગામની પંચાયતો જેવી કે નવાગામ, રવાલીયા ગોપીપુરા ,તાજપુરા ના સહયોગ થી તથા પાવાગઢ પંચાયત, શ્રી કાલી ગ્રુપ પાવાગઢ,નારાયણ અન્નપૂર્ણા તથા આઈ હોસ્પિટલ ટ્રસ્ટ તાજપુરા ,હોટેલ હેરિટેજ ,સહેલી ટ્રસ્ટ, ટેલી મીડિયાના અને પ્રિન્ટ મિડિયાના મિત્રો નોપણ વિશેષ સહયોગ રહેશે. જય મહાકાળી.